
સમન્સને અનુસી સાક્ષી હાજર ન રહે તો તે માટે શિક્ષા કરવા માટેની સંક્ષિપ્ત કાયૅવાહી
(૧) ફોજદારી કોટૅ સમક્ષ હાજર થવા સમન્સથી બોલાવેલ કોઇ સાક્ષી સમન્સને અનુસરીને નિયત સ્થળે અને સમયે હાજર રહેવા કાયદાથી બંધાયેલ હોય અને વાજબી કારણ વિના તે સ્થળે કે સમયે હાજર ન રહે કે રહેવાની ના પાડે અથવા જે જગ્યાએ તેણે હાજર રહેવાનુ હોય ત્યાંથી જે સમયે તે કાયદેસર રીતે જઇ શકે તે પહેલા ચાલ્યો જાય અને જેની સમક્ષ તે સાક્ષીને હાજર થવાનુ હોય તે કોટૅને એવી ખાતરી થાય કે તેની સામે સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવી ન્યાયનો હિતમાં ઇષ્ટ છે તો તે કોટૅ ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે અને આ કલમ હેઠળ તેને શા માટે શિક્ષા ન કરવી જોઇએ તેનુ કારણ દશૅ વવાની ગુનેગારને તક આપ્યા પછી તેને એકસો રૂપિયા સુધીના દંડની સજા કરી શકશે
(૨) આવા દરેક કેસમાં કોટૅ શકય હોય ત્યાં સુધી સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી માટે ઠરાવાયેલી કાયૅરીતિને અનુસરવુ જોઇશે
Copyright©2023 - HelpLaw